નવસારી આશ્રમ શાળા ભરતી : નવસારી જિલ્લામાં આવેલી આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અનુદાનિત નીચે મુજબની આશ્રમશાળાઓમાં વિધાસહાયક અને શિક્ષણ સહાયકની સીધી ભરતી માટે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ, નવસારી દ્વારા પત્ર ક્રમાંકઃ નં. મક/આવિ/ઉ.બુ. આશા/NOC/૨૦૨૩/૬૯૬થી ૦૦૧, તા. ૨૩-૦૧-૨૦૨૩ નં. મક/આવિ/ઉ.બુ.આશા/NOC/૨૦૨૩/૦૪થી ૭૦૯, તા. ૨૦-૦૧-૨૦૨૩, નં. મક/આવિ/અમશ/ભરતી/વશી-૧૪૦૦થી ૧૬૧૦/૨૦૨૩ તા. ૦૯/૦૨/૨૦૨૩ અને નં. મક/આવિ/અમશ/ભરતી/વશી-૧૬૨૯થી ૧૬૩૪/૨૦૨૩, તા. ૦૯-૦૨-૨૦૨૩થી ‘‘ના વાંધા પ્રમાણપત્ર’’ આપવામાં આવેલ છે, જે અન્વયે ગુજરાતી માધ્યમના વિધાસહાયકો /શિક્ષણસહાયકોની ભરતી કરવાની છે.
નવસારી આશ્રમ શાળા ભરતી 2023
સંસ્થાનું નામ | નવસારી આશ્રમ શાળા |
પોસ્ટનું નામ | વિધાસહાયક અને શિક્ષણ સહાયક |
કુલ જગ્યા | 39 |
છેલ્લી તારીખ | 28/02/2023 |
અરજી મોડ | રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી |
આ પણ વાંચો, SSC MTS Recruitment ssc.nic.in
નવસારી આશ્રમ શાળા ભરતી પોસ્ટનું નામ
વિધાસહાયક અને શિક્ષણ સહાયક
નવસારી આશ્રમ શાળા ભરતી શૈક્ષણિક લાયકાત
બી.એ, બી.એડ , બી.એસ.સી. બી.એડ , એમ.એ.બી.એડ, પી.ટી.સી
નવસારી આશ્રમ શાળા ભરતી ઉંમર મર્યાદા
જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
નવસારી આશ્રમ શાળા ભરતી પગાર
સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિધાસહાયકને રૂ. ૧૯,૯૫૦/- પ્રતિ માસ, ધો.-૯, ૧૦ ના શિક્ષણસહાયકને રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ તથા ધો. ૧૧, ૧૨ના શિક્ષણસહાયકને રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે.
આ પણ વાંચો, મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવો
નવસારી આશ્રમ શાળા ભરતી અરજી ફી
કોઈ અરજી ફી નથી.
નવસારી આશ્રમ શાળા ભરતી અન્ય વિગતો
- ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય (લાગુ પડતો હોય તો)ની ટી.ઈ.ટી./ટી, એ.ટી.ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈશે.
- અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાના રહેશે.
- જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકારશ્રીએ નિયત કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિશનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થા દ્વારા નિમણૂંક આપવામાં આવશે.
- પગારધોરણ : સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિધાસહાયકને રૂ. ૧૯,૯૫૦/- પ્રતિ માસ, ધો.-૯, ૧૦ના શિક્ષણસહાયકને રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ તથા ધો. ૧૧, ૧૨ના શિક્ષણસહાયકને રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે. સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગારધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે. નિયમિત નિમણૂંક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર થશે. સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકાશે.
આ પણ વાંચો, How To Apply For Learning License
- શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઈશે.
- અરજી કરવાના આખરી દિવસે ઉમેદવારની ઉંમર સરકારશ્રીએ ઠરાવ્યા મુજબની વયમર્યાદામાં હોવી જોઈએ. વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળી શકશે.
- સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાના કર્મચારીએ નિમણૂક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે.
- ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલ હશે તો તેની અરજી આપોઆપ રદ્દ થશે
- સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યૂટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.
- મહિલા કર્મચારીએ ગૃહમાતા તથા પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોઈ પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવું ફરજિયાત છે. તેઓને સંસ્થા તરફથી રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે.
- આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ શિક્ષણ વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૯ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ના સંબંધિત નિયમો પણ લાગુ પડશે.
આ પણ વાંચો, ઇન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી
- ઉપરોક્ત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વયંપ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટા (જો વધારાની લાયકાત ધરાવતા હોય તો તે પણ) અરજી સાથે સામેલ રાખી તા. ૨૮/૦૨/૨૦૨૩ પહેલાં ઉક્ત સરનામે મળી જાય તે રીતે ફક્ત R.P.A.D.થી જ અરજી મોકલવાની રહેશે. તે પછીથી મળેલ અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહિ, અરજીના કવર પર લાલ પેનથી કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે, તે દર્શાવવાનું રહેશે.
- એકથી વધુ આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક ઉમેદવારે તમામ સંબંધિત સંસ્થામાં અલગ-અલગ કવરમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા)ની કચેરી, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જૂનાથાણાં, નવસારી-૩૯૬૪૪૫ને મોકલવાની રહેશે.
નવસારી આશ્રમ શાળા ભરતી મહત્વપૂર્ણ નોંધ
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
આ પણ વાંચો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
Important Link
નવસારી આશ્રમ શાળા ભરતી નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Contact Email : satji477@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, comeias.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.